જત જણાવવાનુ તને કે છે અજબ વાતવરણ,
એક ક્ષણ તુ હોય છે ને એક ક્ષણ તારુ સ્મરણ !..
શબ્દનુ તો પોત તારાથી અજાણ્યુ ક્યા હતુ –
છે જ એવા અટકીને ઉભે ખરે ટાણે સજન !…
સાંજના કાગળ, કલમ ને દોત લૈ બેઠા છીયેં,
ને હજી તો વાટ સંકોરી રહ્યા વ્હાણે સજન !
કોઇ બીજાને કહુ તો નક્કી એ હાંસી કરે,
આ વિતક તારા વિના તો કોણ પરમાણે સજન !..
– રાજેન્દ્ર શુક્લ,
અરધી સદી ની વાચનયાત્રા માથી.
પ્રતિસાદ આપો