જહાંગીર બાદશાહ એક વખત ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એક ઘોડેસવાર માથે સુંદર ફેંટો પહેરીને જતો હતો. બાદશાહને ફેંટાનો રંગ બહુ ગમી ગયો. તેણે ઘોસેસવારને બોલાવ્યો અને પુછ્યું,”તે તારો ફેંટો ક્યાં રંગાવ્યો છે?” જવાબમાં ઘોડેસવારે એક રંગરેજ બાઈનું ઠેકાણું બતાવ્યું.
બાદશાહે તે બાઈને બોલાવીને પૂછ્યું, ”તુ મને આવા રંગનો ફેંટો બનાવી આપે? ”
બાઈએ કહ્યું, ”ઝીણી મજલીન લઈ આપો તો રંગી આપુ પણ તેના જેવો તો રંગ નહી જ થાય ”
બાદશાહ : ”કેમ નહીં થાય?”
બાઈ : ” કારણ કે તેમનાં પર તો બેવડા રંગ ચડેલા છે ”
બાદશાહ : ”મારા ફેંટા ને ચાર વખત રંગજે”
બાઈ: ”બેવડા રંગ માત્ર તોલપન થી નાખેલાં તે નહીં. તેમાં એક રંગ તો જે દેખાય છે તે – અને બીજો રંગ તે આશકીનો. આશકી નો રંગ બધા પર ના ચડે.”
– રવિશંકર મહારાજ
તાજેતરની ટિપ્પણીઓ